એક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ રાખી, ઉતારી લેવું. જેથી આબળાં કડક રહે. આબળાં ઠંડા પડે એટલેકટકા કરી, કોરાં કરવા. તેમાં લીંબનો રસ નાંખી 1 કલાક આથી રાખવાં.
મેથીનો કરકરો ભૂકો, મીઠું, મરચું, રાઈનો પાઉડર અને હળદર નાંખી, મસાલો તૈયાર કરવો. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ નાંખી, અાદુંને છોલી કટકી કરી નાંખવી. બરાબર સંતળાય એટલે ઉતારી, વધારો ઠંડો પડે એટલે મસાલો વઘારવો.
થાળીમાં આબળાના કટકાલઈ તેમાં તેલ નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.