નાળિયેરના ખમણાં મીઠું, દળેલી ખાંડ, વાટેલા આદું-મરચાં, લીલા ધાણા, લાલ દ્રાક્ષ, કાજુની કટકી અને લીંબુનો રસ નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.
બટાકાને બાફી, છોલી માવો બનાવવો. તેમાં મીઠું નાખી 1 ચમચી તેલમાં હિંગ નાંખી બટાકાનો માવો સાધારણ સાંતળી ઉતારી લેવો.
ચણાની દાળને 7-8 કલાક પાણીમાં પલાળી રાખવી. પછી મિક્સમાં ઝીણી વાટવી. તેમાં મીઠું, થોડીક હળદર અને મરચું નાંખી ફીણી, પાણી નાંખી પાતળું ખીરું બનાવવું.
બટાકાની કણકમાંથી લૂઓ લઈ, વાડકી આકાર બનાવી, તેમાં તૈયાર કરેલું પૂરણ ભરી, પેટીસ વાળી દાબી, ચણાની દાળના ખીરામાં બોળી, તેલમાં બદામી રંગના તળી લેવા.
એક બાઉલમાં 2 વડાં કાપીને મૂકવાં. તેના ઉપર થોડી સેવ ભભરાવવી. ઉપર 1 ચમચી લીલી ચટણી અને 1 ચમચી દહીં નાંખી પીરસવું.