ડુંગળીનું ઝીણું કચુંબર કરવું. તેમાં ચણાનો અને ઘઉંનો લોટ નાંખી, મીઠું, હળદર, ખાંડ, અથાણાનો રસ, મેથીનો સંભાર, તલ અને તેલનું મોણ નાંખી ખીરું બાંધવું. અથાણાનો રસો અને મેથીનો સંભાર ન નાંખવો હોય તો તેને બદલે અાદું-મરચાં નાંખવા. પેણીમાં તેલ મૂકી ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં નાંખી, ભજિયાં તળી લેવાં. મોણમાં તેલ ઓછું નાંખવું હોય તો થોડો સોડા નાંખવો.